નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર સતત ચાલુ છે. પરંતુ આ બધા વચ્ચે પણ એક રાહતના સમાચાર મળ્યા છે. દેશના 3 રાજ્યો હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ રીતે મુક્ત થયા છે. તાજો મામલો ત્રિપુરાનો છે. અહીં કોરોનાના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ગોવા અને મણિપુર પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાનો પ્રકોપ નથી. આ રાજ્ય પણ કોરોનાથી મુક્ત થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NASAએ ભારતને આપ્યાં મોટા ખુશખબર, જાણીને તમને પણ થશે ખુબ આનંદ 


અત્રે જણાવવાનું કે તાજા આંકડા મુજબ હાલ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 21700 છે. જેમાંથી 686 લોકોના મોત થયા છે અને 4325 લોકો સાજા થઈને ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1409 કેસ સામે આવ્યાં છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 78 જિલ્લાઓમાંથી 14 દિવસમાં કોરોનાના કોઈ નવા કેસ સામે આવ્યાં નથી. આ ઉપરાંત 9 રાજ્યોના 33 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી. 12 જિલ્લા એવા છે જ્યાં 28 દિવસથી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube